Sant Surdas Yojana : દિવ્યાંગ વ્યક્તિને માસિક ₹ 1000 નું પેન્શન આપવામાં આવે છે
Sant Surdas Yojana: ગુજરાત સરકારે સમય દરમિયાન નવી ઘણી બધી યોજનાઓ અમલમાં મુકી રહે છે તેમાં જમણા ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ લોકો માટે સંત સુરદાસ યોજના શરૂ કરવામાં આવેલ છે. સંત સુરદાસ યોજના 2023, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન અને ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.
Sant Surdas Yojana સહાયની રકમ
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સંત સુરદાસ યોજના સહાય ગુજરાતમાં વસતા દિવ્યાંગ લોકો માટે અને જેમની 80% કે તેનાથી વધુ હોય તેમને ગુજરાત સરકાર દ્વારા 600 રૂપિયા પ્રતિ મહિને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.
સંત સુરદાસ યોજના સહાયની રકમ
આ યોજના હેઠળ દિવ્યાંગ લાભાર્થીઓને માસિક રૂપિયા 600 (છસ્સો રૂપિયા) પેન્શન આપવામાં આવે છે. આ સહાય લાભાર્થીના બેંક એકાઉન્ટમાં DBT (ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર ) દ્વારા જમા કરવામાં આવે છે.
સંત સુરદાસયોજનાની પાત્રતા
Government of Gujarat ના ઈ સમાજ કલ્યાણ યોજના માટે પાત્રતા નક્કી કરેલી છે. જેમાં સંત સુરદાસ – વિકલાંગ પેન્શન માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલી છે.
- 80 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવનાર વ્યક્તિને આ યોજનાનો લાભ મળે.
- 0 થી 17 વર્ષ સુધીના દિવ્યાંગ વ્યક્તિને લાભ મળવાપાત્ર છે
- ગ્રામ્ય વિસ્તારમાં BPL યાદીમાં 0 થી 20 નો સ્કોર ધરાવનારને લાભ મળવાપાત્ર છે.
- શહેરી વિસ્તારમાં ગરીબી રેખા હેઠળ જીવતા ગુજરાતની દિવ્યાંગ વ્યક્તિઓને મળવાપાત્ર છે.
લાભાર્થીની પાત્રતા.
- 0 થી 17 વર્ષ સુધીના દિવ્યાંગ વ્યક્તિને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર થશે.
- 80% કે તેથી વધુ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
- શહેરી વિસ્તારમાં ગરીબી હેઠળ જીવતા સુવર્ણ જયંતિ કાર્ડ ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓને આ યોજનાઓ લાભ મળશે.
- આ યોજના નો લાભ ગરીબી હેઠળ જીવતા લોકો જેઓને બીપીએલ કુટુંબનો જેમનો સ્કોર 0 થી 20 માં સમાવેશ થાય છે. તેવા વ્યક્તિઓને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર થશે.
સંત સુરદાસ યોજના હેઠળ અરજી ક્યાં કરવી?
મિત્રો, દિવ્યાંગ વ્યક્તિને સરકારી કચેરીમાં જવું ન પડે તે માટે સમાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા Sant Surdas Yojana 2023 હેઠળ ઓનલાઈન અરજી કરવાની સુવિધા આપવામાં આવી છે. આ યોજના હેઠળ એ e Samaj Kalyan Portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે તથા ગ્રામ્ય વિસ્તારમાં પણ ઈ-ગ્રામ સેન્ટર ખાતે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે.
સંત સુરદાસ યોજના 2023 ડોક્યુમેન્ટ.
- રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ લાઈટ બિલ ડ્રાઇવિંગ લાઇસન્સ ચુંટણીકાર્ડ પૈકી કોઈ પણ એક.)
- ઉંમર નો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર LC કે જન્મ્નો દાખલો)
- દિવ્યાંગ વ્યક્તિ ઓળખકાર્ડ /સિવિલ સર્જન ડોક્ટરનું પ્રમાણપત્ર બંનેમાંથી કોઈપણ એક.
- BPL સ્કોર 0 થી 20 અંગેનો દાખલો અથવા સુવર્ણ જયંતિ કાર્ડ બંનેમાંથી કોઈ પણ એક.
- બેંક ડીટેલ્સ બેંક ખાતાની ચોપડીની નકલ અથવા કેન્સલ કરેલ ચેક.
- આધાર કાર્ડ ની નકલ.
અગત્યની નોંધ:-
ગ્રામ્ય વિસ્તાર માટે ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ રૂરલ ડેવલેપમેન્ટ તેમજ શહેરી વિસ્તાર માટે ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ અર્બન હાઉસિંગ એન્ડ પોવટી એલીવેશન તરફથી જે લાભાર્થીઓ બી.પી.એલ (BPL) ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની યાદીમાં સામેલ હોય તેવા દિવ્યાંગ વ્યક્તિઓને ‘સંત સુરદાસ યોજના’ નો લાભ મળવાપાત્ર છે.
યોજનાનું નામ | Sant Surdas Yojana Online |
ભાષા | ગુજરાતી અને English |
ઉદ્દેશ | દિવ્યાંગોનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાંકીય સહાય પૂરી પાડી તેમનું સમાજમાં પુન:સ્થાપન થાય |
લાભાર્થી | દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને |
સહાયની રકમ-1 | દિવ્યાંગ લાભાર્થીઓને માસિક રૂપિયા 600 (છસ્સો રૂપિયા) પેન્શન |
દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ
Disabled Person Pension Scheme નો લાભ આપવા માટે e Samaj દ્વારા દિવ્યાંગતાની ટકાવારી નક્કી થયેલી છે. કઈ-કઈ દિવ્યાંગતા માટે કેટલી ટકાવારી નક્કી થયેલી છે તે નીચે મુજબ છે.
ક્રમ નં | દિવ્યાંગતા | મળવાપાત્ર લાભ માટે દિવ્યાંગતાની ટકાવારી |
1 | અંધત્વ | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
2 | આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
3 | સાંભળવાની ક્ષતિ | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
4 | ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
5 | સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
6 | ઓછી દ્રષ્ટી | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
7 | ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરાતા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
8 | બૌધ્ધિક અસમર્થતા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
9 | હિમોગ્લોબિનની ઘટેલી માત્રા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
10 | રકતપિત-સાજા થયેલા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
11 | દીર્ધકાલીન અનેમિયા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
12 | એસીડના હુમલાનો ભોગ બનેલા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
13 | હલન-ચલન સથેની અશકતતા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
14 | સેરેબલપાલ્સી | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
15 | વામનતા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
16 | માનસિક બિમાર | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
17 | બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
18 | ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
19 | વાણી અને ભાષાની અશકતતા | 80% કે તેથી વધુ |
20 | ચેતાતંત્ર-ન્યુરોની વિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ | 80% કે તેથી વધુ |
21 | બહેરા અંધત્વ સહિત અનેક અપંગતા | 80% કે તેથી વધુ |
ફાયદા શું છે?
તમામ લાભાર્થીઓ માસિક રૂ.600/- ચૂકવવા પાત્ર છે.
અરજદારને સહાય તેમના ખાતામાં DBT દ્વારા ચૂકવવામાં આવે છે.
આ વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવતી કલ્યાણ યોજનાઓને મુખ્યત્વે નીચે પ્રમાણે વર્ગીકૃત કરી શકાય છે:
- શિક્ષણ
- આર્થિક કલ્યાણ
- આરોગ્ય અને આવાસ
- અન્ય યોજનાઓ
Official Web Site | Apply |
FAQ
1.Sant Surdas Yojana 2023 હેઠળ કોને લાભ મળશે.
સંત સુરદાસ યોજના 2023 યોજના હેઠળ 0 થી 17 સુધીની 80% દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીને દર મહિને ₹ 1,000ની સહાય મળશે.
2. Divyang Pension Yojana યોજના માટે જિલ્લા કક્ષાએ કોનો સંપર્ક કરવાનો રહેશે.
આ યોજના હેઠળ કોઈપણ સમસ્યા હોય તો જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે.
3. દિવ્યાંગ પેન્શન યોજના આજીવન ચાલુ રાખવા શું કરવુ?
સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ હયાતીની ખરાઈ કરાવીને આજીવન સહાય મેળવી શકાશે.